31 December 2012

♥☀♥ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની રહસ્યમય ડેથબેડ થિયરી મૃત્યુનાં લગભગ સો વર્ષ બાદ સાચી પડી છે.♥☀♥

☀આ ફોર્મ્યુલાથી બ્લેક હોલની વર્તણૂક સમજી શકાય છે.

☀રામાનુજનને આ થિયરી તેમનાં સ્વપ્નમાં નામગીરીદેવી તરફથી પ્રાપ્ત થઈ હોવાનો તે સમયે તેમણે દાવો કર્યો હતો.
☀ઇ.સ.૧૯૨૦ માં મરણપથારી પરથી રામાનુજને તેમના માર્ગદર્શક બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી. એચ. હાર્ડીને પત્ર લખીને આ થિયરીની જાણ કરી હતી. આ પત્રમાં તેમણે અનેક નવી ગણિતની થિયરીનું સૂચન કર્યું હતું , જેને પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નહોતી. આ પત્રમાં તેમણે આ થિયરી કેવી રીતે કામગીરી કરે છે તેનાં પર પણ પ્રકાશ ફેંક્યો હતો .

☀ સંશોધકોએ જણાવ્યું હતું કે તેમની થિયરી સાચી નીકળી હતી. આ થિયરીને બ્લેકહોલની વર્તણૂકના સંદર્ભમાં સમજાવી શકાય છે.

>>એમોરી યુનિર્વિસટીના ગણિતશાસ્ત્રી કેન ઓનોએ જણાવ્યું હતું કે , રામાનુજનના છેલ્લા રહસ્યમય પત્રમાં રહેલા કોયડાને અમે ઉકેલી નાખ્યો છે. રામાનુજને પત્રમાં લખેલી થિયરીના ઉપયોગ વડે બ્લેકહોલનું રહસ્ય ઉજાગર થાય તેવું મનાય છે. ૧૯૨૦ના સમયગાળામાં બ્લેકહોલનાં અસ્તિત્વ અંગે કોઈ વ્યક્તિએ વિચાર્યું પણ નહોતું અને તે સમયે તેમના માપદંડોને હાસ્યાસ્પદ મનાતા હતા. રામાનુજને પોતાના પત્રમાં જાણીતા થેટા ફંક્શનથી અલગ રીતે કામગીરીનાં અનેક નવાં ફંક્શનનો ઉલ્લેખ કર્યો હતો.
ગણિતનાં ક્ષેત્રે કામ કરતાં લોકોમાં છેલ્લાં ૯૦ વર્ષોથી આ બાબતે ખૂબ જ આશ્ચર્ય પેદા કર્યુ હતું. ઓનોએ જણાવ્યું હતું કે , દક્ષિણ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં જન્મેલા રામાનુજન જાતે જ ગણિતની અનેક થિયરીઓ શીખ્યા હતા. રામાનુજન હંમેશાં ગણિત વિશે જ વિચારતા રહેતા હતા અને તેમને બે વખત કોલેજમાંથી પણ કાઢી મુકાયાહતા. ગણિતશાસ્ત્રીઓનો અને તેમના સાથીઓએ આધુનિક ગાણિતિક સાધનો પર રામાનુજનની ફોર્મ્યુલાનો ઉકેલ શોધ્યો હતો. આ સાધનો રામાનુજનનાં મૃત્યુ સમયે શોધાયાં પણ નહોતાં. કમનસીબ બાબત એ છે કે રામાનુજ માત્ર ૩૨ વર્ષની યુવા વયે જ નિધન પામ્યા હતા. જો તેમણે જીવનની થોડીક લાંબી મજલ કાપી હોત તો બ્લેક હોલનો ભેદ ઉકેલાઇ જાત.

30 December 2012

♥☀♥ ગુણોત્સવ ૨૦૧૧ ♥☀♥ ♥તમારી શાળાના સર્ટીફિકેટની પ્રિન્ટ કાઢો♥

☀ ગુણોત્સવ ૨૦૧૧ ☀
તમારી શાળાના સર્ટીફિકેટની પ્રિન્ટ કાઢવા નીચેની લિંક પર ક્લિક કરો

http://www.gunotsav.org/events.aspx?gunotsav=2011

29 December 2012

☀ગુણોત્સવ ૨૦૧૧ નુ પરિણામ☀

☀ગુણોત્સવ ૨૦૧૧ નુ પરિણામ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે.
ક્લિક THIS લિંક .................

http://www.gunotsav.org/events.aspx?gunotsav=2011

♥☀♥ TET પરીક્ષા પરિણામ - વિરોધ શા માટે? ♥☀♥

☀>થોડા સમયથી ગુજરાત સરકાર દ્વારા શિક્ષક બનવા માટે એકપરીક્ષા ફરજિયાતકરવામાં આવી છે જેને શિક્ષક અભિયોગ્યતા કસોટી (TET) તરીકે ઓળખવામાંઆવે છે. છેલ્લે લેવાયેલ આ પરીક્ષાઓનુ પરિણામ ખુબ જ ગંભીર આવ્યુ છે. ફક્ત 2.5% તેમજ 3.4% !!!
અમુક લોકો આ પરિણામને ગેરવાજબી ગણાવે છે. પરંતુ શા માટે? કોઇ પરીક્ષામાં કોઇ ઉમેદવાર યોગ્ય પ્રદર્શન કરી ન શકે તો શુપરિણામને ગેરવાજબી ગણાવીશકાય? બિલકુલ નહી. શુ આ પરીક્ષાનુ પ્રશ્નપત્ર અઘરુહતુ? શુ પ્રશ્નો સિલેબસ (અભ્યાસક્રમ) બહારના હતા? શુ આ પરીક્ષામાં કોઇ સાથે ભેદભાવ થયો છે? બિલકુલ નહી. આ પરીક્ષાનાબધા જ પ્રશ્નો અભ્યાસક્રમ મુજબના જ હતા.જો મારા જેવા આર્ટ્સના વિદ્યાર્થીને આ પ્રશ્નપત્ર સહેલુ લાગતુ હોય તો આ પરીક્ષાની તૈયારી કરતા મારા શિક્ષક મિત્રોને આ પ્રશ્નપત્ર કઇ રીતે અઘરુ લાગે?
આ પરીક્ષા માટે અમુક લોકો સંપૂર્ણ પરીક્ષા સામે વિરોધનોંધાવે છે જેમાં તેઓ નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લેતા હોય છે.

☀વિરોધ નં. ૧. શુ કોઇ શિક્ષકને પ્રમાણપત્રની જરૂર પડે કે તે એલીજીબલ છે કે નહી?
>>ખુલાસો: ચોક્કસ જરૂરપડે. શિક્ષકને આ પ્રમાણપત્રની જરૂર પડે જ કારણકે તે પોતે અપડેટ હશે તો જવિદ્યાર્થીઓને અપટેડ રાખીશકશે. હાલની સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત જોતા આ પ્રમાણપત્ર ખુબ જ જરૂરી છે. સરકારના જે-તે ખાતાના આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ અથવા તો સચીવો દ્વારા આ બધી બાબતની ચકાસણીકર્યા બાદ જ આ પરીક્ષા લાગુકરાઇછે તેથી કોઇ સામાન્ય માણસના વિરોધનો કોઇ પ્રશ્નજ નથી.

☀વિરોધ નં. ૨. આ પરીક્ષામાં જે પ્રશ્નો પુછવામાં આવે છેતે શિક્ષણમાં ઉપયોગી નથી.
>>ખુલાસો: ટેટ પરીક્ષામાં અભ્યાસક્રમ અનુસાર જ પ્રશ્નો પુછવામાં આવે છે અને તે અભ્યાસક્રમમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે એક શિક્ષકને આવડવા જ જોઇએ અને તોજ તે વિદ્યાર્થીઓને શીખવી શકશે.

☀વિરોધ નં. ૩. શિક્ષકનુ મનોબળ તુટી જાય તેવા પ્રશ્નો પુછવામાં આવે છે.
>>ખુલાસો: કોઇપણ વ્યક્તિનુ મનોબળ તુટે જ્યારે તે હિંમ્મત હારી ગયો ગણવામાં આવે છે. શુ કોઇ શિક્ષક એટલો નબળો હોય? તેશિક્ષકે તો સમાજનુ ઘડતર કરવાનુ છે તો તેનુ મનોબળ તુટે જ નહી. અને પરીક્ષામાં એવા કોઇ પ્રશ્નો પુછવામાં નથી આવ્યા જેથી કોઇ વ્યક્તિનુ મનોબળ તુટી જાય. હા, તૈયારી કર્યા વિના જે શિક્ષકોએ પરીક્ષા આપી હશે તેઓનુ મનોબળ જરૂર તુટ્યુ હશે અને તેવી પરિસ્થિતિમાંમનો ­બળ તુટવુ તે સામાન્ય ગણી શકાય.

☀વિરોધ નં. ૪. આ પરીક્ષા શિક્ષકોને ઠોઠ નિશાળિયો સાબિત કરવા માંગે છે?
>>ખુલાસો: ઠોઠ નિશાળિયો!!! શિક્ષક તો તેને કહેવાય જે ઠોઠ નિશાળિયાને હોશિયાર બનાવી દે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તૈયારીના અભાવે કદાચ કોઇને તેવો વ્યક્તિગત વિચાર આવે તે સામાન્ય બાબત છે.

☀વિરોધ નં. ૫. પરીક્ષામાં અભ્યાસક્રમ જળવાયો નથી, સ્ટીવ જોબ્સ અને ભૂમિતિના જેવા બહારના પ્રશ્નો પુછ્યા છે.
>>ખુલાસો: અભ્યાસક્રમ બિલકુલ જળવાયો જ છે.અભ્યાસક્રમમા લખ્યા મુજબ કરંટ અફેયર્સ પણ અભ્યાસક્રમનો જ એક ભાગ છે અને કરંટ અફેયર્સના પ્રશ્નોમાં સ્ટીવ જોબ્સનો પ્રશ્ન તે બિલકુલ વાજબી છે કારણ કે છેલ્લા અમુક મહિનાઓના સમાચારોમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ તે જ છે તેમજ સ્ટીવ જોબ્સનુ આ દુનિયાને ઘણુ પ્રદાન છે. ભૂમિતિના પ્રશ્નો આઇ.એ.એસ.નેપણ ના આવડે તેવી ચર્ચા કરતા અમુક લોકોએ તે બાબતનો ખ્યાલ રાખવો જોઇએ કે તે પ્રશ્નો ધોરણ 5 થી 8ના પુસ્તકોમાંથીજ પુછાયા છે, જે એક પ્રાથમિક શિક્ષકને આવડવા જ જોઇએ.

☀વિરોધ નં. ૬. ટેટનુ પરિણામ સી.એ./ ­આઇ.એ.એસ.કરતા પણ ખરાબ.તેના કરતા તો કલેક્ટરની પરીક્ષા આપવી સારી.
>>ખુલાસો: કોઇપણ પરીક્ષાની બીજી પરીક્ષા સાથે સરખામણી બિલકુલ અયોગ્ય છે. શિક્ષક દરજ્જનો વ્યક્તિ આ પ્રકારની સરખામણી કઇ રીતે કરી શકે! ટેટ અને આઇ.એ.એસ. પરીક્ષા વચ્ચે બહુ જ મોટો ગાળો છે અને કોઇ શિક્ષક મિત્રને કલેક્ટર (યુપીએસસી સિવિલ સર્વિસીસ) પરીક્ષા આપવી હોય તો તેઓ આપી જ શકે છે.
મિત્રો, આપેલ બધી જ બાબતો અમુક લોકો દ્વારા ચર્ચવામાં આવી છે સાથોસાથ તેના એકદમ સાચા તેમજ વાજબી ખુલાસા પણ આપવામાં આવ્યા છે. ટેટ પરીક્ષા આજના સમયમાં બિલકુલ યોગ્ય છે. હા, પ્રાઇવેટ/સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાંથી પાસ થયેલ અમુક વિદ્યાર્થીઓને આ પરીક્ષાથોડી અઘરી જરૂર લાગે છે પરંતુ થોડી મહેનત દ્વારા તેઓ આ પરીક્ષા પાસ કરી શકેછે. આ પરીક્ષાનો એક ફાયદો ચોક્ક્સ થશે કે હવે પછીના સમયમાં સરકારી શાળાઓનુ લેવલ પ્રમાણમાં ઉંચુ જરૂરથી આવશે જ.
If u agree?
Must share know all our teacher frds....

☀♥ભારતના સૌથી મોટા ઔદ્યોગીક સમૂહ ટાટા સંસના સમગ્ર વિશ્વમાં ફેલાયેલ સામ્રાજ્ય♥☀

☀ સ્થાપના - 1868માં જમશેદજી નૌસેરવાનજી ટાટા.
☀ મુખ્યઓફિસ : મુંબઈ સ્થિત બોમ્બે હાઉસ
☀ સંચાલન - છ થી વધારે મહાદ્વીપ અને 80 થી વધારે દેશોમાં બિઝનેસ
☀સમૂહની કુલ આવક - 475, 721 કરોડ રૂપિયા. 58 ટકા આવક વિદેશોથી.
☀વિસ્તાર - સાત પ્રમુખ વિસ્તાર-
ઇન્ફર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન,
એન્જિનીયરિંગ,
સેવા, ઉર્જા,
કેમિકલ્સ અને ઉત્પાદન
☀બજાર સંચાલન - 32 કંપનીઓ સૂચીબદ્ધ. સંયુક્ત બજાર પૂંજીકરણ 88.82 અબજ ડોલર
☀શેર ગ્રાહકોની સંખ્યાં - 38 લાખ
☀પ્રમુખ કંપનીઓ -
>>ટાટા સ્ટીલ,
>> ટાટા મોટર્સ,
>>ટાટાકંસલ્ટંસી સર્વિસિઝ,
>> ટાઈટન, ટાટા કમ્યૂનિકેશન,
>>ટાટા ટેલિસર્વિસિઝ અને
>> ઈન્ડીયન હોટલ્સ
☀વિદેશી બ્રાંડ - કોરસ, જગુઆર, લેંડ રોવર, ટેટલી, દાયવૂના ભારે વાહનોનો એકમ
☀કર્મચારીઓની સંખ્યા - 450,000થી વધારે

28 December 2012

☀જાણવા જેવુ☀

☀~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવીશકે છે.
☀~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
☀~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
☀~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત 'મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
☀~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
☀~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
☀~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
☀~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !
☀~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથીપણ વધારે શબ્દો છે !
☀~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાયછે !
☀~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જજડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
☀~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
☀~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે!
☀~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
☀~> એલ્બેટ્રોસ નામનું પંખીએક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
☀~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
☀~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ગણો ભારે છે.
☀~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજનકરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
☀~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
☀~> નેપોલીયન બિલાડીઓથી બહુડરતો !
☀~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડેજ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી,પણ શિકારીને પકડવાના દાંત હોય છે.
☀~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી૨૦૦ વર્ષનું ગણાય છે.
☀~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.
☀~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
☀~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
☀~> લીમડાના ઝાડ ઉપર તીડ કદીહુમલો કરી,તેનો નાશ કરી શકતા નથી.

♥•♥ ગુજરાતમાં થયેલી ૨૦૦૫ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા રદ ♥•♥

☀ગુજરાતમાં 2005માં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા હાથ ધરીને લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં એસ.ટી, એસ.સી અને અનામતના નિયમનું ઉલંઘન કરવામાં આવ્યું હતું,
જેને લઇને હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયાનું લિસ્ટ કેન્સલ કરીને નવેસરથી પંદર દિવસમાં લિસ્ટ તૈયાર કરીને બે મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરી કરવા આદેશ કર્યા છે.

♥☀♥ ભાવનગરમાં ફાજલ શિક્ષકોની જગ્યા ભરવાના મામલે ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ) દ્વારા તપાસની કાર્યવાહી શરૂ ♥☀♥

☀ધો-૮ને ઉચ્ચત્તર પ્રાથમિકમાં સમાવેશ કરવાથી અસંખ્ય શિક્ષકો ફાજલ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૯૫ જેટલા વર્ગ વધારવા અંગેની દરખાસ્તને મંજૂરી મળતા ફાજલ થયેલા શિક્ષકોને શિક્ષણ તંત્ર દ્વારા જગ્યા ભરવા માટેની રિ-કોલની કાર્યવાહીનો આરંભ થઈ ગયો છે.

☀આ જગ્યા ભરવા માટે એજ્યકેશન ઈન્સ્પેકટર્સને પોતાના બીટમાં તપાસ કરવા માટેની સુચના અપાઈ છે.જેને પગલે આ એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ)ના અભિપ્રાય બાદ શિક્ષકોને રિ-કોલના ઓર્ડરો આપવામાં આવશે.

PARIPATRA

VARSH 2012-'13 NI G.P.F. SLEEP ISSUE KARVA BABAT...

Date:31/08/2013 ni sthiti e teacher SET-UP REGISTER taiyar karva babat... 

Ahemdabad District badli karavel sixako ne chuta karva babat... 

• VIKALP LIDHEL TEACHERS NI SINIORITY SALANG GANAVI TE ANGE NO PARIPATRA (PDF)... 

• TPEO (TALUKA PRIMARY EDUCATION OFFICER) NI JAGYAO MANJUR KARVA BABAT...

♣ ☀♥ધોરણ ૧૧ના વિજ્ઞાનપ્રવાહમાં શાળા બદલવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તા.૦૫/૦૧/૨૦૧૩ સુધી પોતાની શાળા બદલી શકશે.♥ ☀♣

26 December 2012

♥•♥વૈદિક ગણિત વિશે થોડુક જાણીએ...♥•♥

>>મિત્રો, વૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.
(આજ-કાલ આ વૈદિક ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)
વૈદિક ગણિત એ એક એવુ ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકો.
તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
*પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપો. તો શું આપ કરી શકવાના છો?

*1.) 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = __________.

*2.) 1+2+3+………..+50 = __________.

*3.) 21+22+23+……..+7 ­ ­4 = __________.

જવાબ છે ના.પણ હવે આપ એક મિનિટમા નહિ પણ અડધી જ મિનિટમા કરી શકો છોઃ
કેવી રીતે?

>>આપણે સૌ પ્રથમ “2.)” નો જવાબ મેળવીએ.અહી આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહી છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમાં તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબઆવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.
આથી 1+2+3+………..+50 = 1275.
છે ને સાવ ઇઝી?

તે જ રીતે “1.)” માં…
10*10=100;
100+10=110;
110/2=55.
આથી 1+2+3+4+5+6+7+8 ­­+9+10 = 55.

હવે “3.)” માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.
ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે-210.
હવે આપણે 21 થી 74નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74
માંથી આવેલા જવાબમાંથી 1 થી20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.
આથી 21+22+23+……..+7 ­ ­4 = 2565.
છે ને કમાલની વાત?

♥વિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે.♥

>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.

>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.

>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ­ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.

>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.

♥વિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે.♥

>>શૂલ્બ સૂત્ર નામનુ પુસ્તક 2800 વર્ષ પહેલા સર્જાયુ હતુ.

>>પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.

>> વિદેશી સ્કોલર્સ ભારતની અત્યંત જુની ગણિત પરંપરાઓ તરફ કેમ આર્કષાયા હતા. તેવા રસપ્રદ વિષય પર લેક્ચર આપવામાટે એમ.એસ.યુનિવર્સી ­ટીમાંઆવેલા જાણીતા ગણીત શાસ્ત્રી પ્રો.વી કન્નને કહ્યુ હતુ. કે શૂલ્બ સુત્ર મૂળે તો વૈદિક રીતિરિવાજોની જાણકારી આપતુપુસ્તક છે.
પરંતુ તેમાં આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મની રચના માટે અપાયેલી ભૂમિતિની સંખ્યાબંધ ફોર્મ્યુલાઓ જોવામળે છે.વિશ્વના ઘણા સંશોધકોએ કહ્યુ છે કે આ પુસ્તક વિશ્વનુ સૌથી જુનુ મેથ્સ પુસ્તક કહી શકાય.ભારતમાં આજે વિદ્યાર્થીઓ ગણિતના જેટલા પણ ચેપ્ટર ભણે છે તે પૈકીના 20 થી 30 ચેપ્ટર એવા છે જે ભલે આજે વિદેશી ગણીતશાસ્ત્રીઓએ શોધેલા મનાતા હોય પરંતુ તેનો ઉલ્લેખ ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે.
તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ પાયથાગોરસના ફેમસ પ્રમેયનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.આ જ રીતે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી બાયનરી સીસ્ટમની જાણકારી 2600 વર્ષ પહેલા રચાયેલા સંસ્કૃત પુસ્તક"છંદસુત્રમ" માં છે.

>>આજે પણ ભારતના સંસ્કૃત પુસ્તકોનુ અધ્યયન કરવામાં આવે તો અત્યાર સુધી ઢંકાઈ રહેલી ઘણી રસપ્રદ વિગતો પરની ધુળ ખંખેરાય તેમ છે.

24 December 2012

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥

♥વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક♥
*•નામ:- એલન સ્ટીવર્ટે
*•દેશ:- ઓસ્ટ્રેલિયા

>>એવું કહેવાય છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બસ અભ્યાસ માટેની તમારામાં ધગશ હોવી જોઈએ. આ વાતને ઓસ્ટ્રેલિયાનાં એક વૃદ્ધે હકીકતમાં સાબિત કરીઆપી છે.

>>ઓસ્ટ્રેલિયાનાં 97 વર્ષનાં એક વૃદ્ધે પોતાના અભ્યાસ દ્રારા રેકોર્ડ સ્થાપ્યો છે અને વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક બની ગયાં છે.
ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં અનુસાર એલન સ્ટીવર્ટે લિસમોર સ્થિત સાઉદર્ન ક્રાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ ક્લીનિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી એવું સાબિત કરી આપ્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.
>>સ્ટીવર્ટે સ્નાતકની ડિગ્રી મેળવી 2006નાં પોતાના જ રેકોર્ડને તોડ્યો છે. તે સમયે તેમણે 91 વર્ષની વયે કાયદાની ડિગ્રી મેળવી હતી.

30 October 2012

20 October 2012

દરેક જિલ્લામાં તા.૨/૧૧/૨૦૧૨ ના રોજ ૧ થી ૫ ની તાલીમ અને તા.૩/૧૧/૨૦૧૨ ના રોજ ૬ થી ૮ ની તાલીમ છે. આ તાલીમ ના કારણે જે જિલ્લામાં એ દિવસે પરિક્ષા હશે એમાં ફેરફાર થવાની શક્યતા છે.

* વિજ્ઞાનીઓએ હવામાંથી પેટ્રોલ બનાવવાની અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. * બ્રિટિશ દૈનિકપત્ર 'ધ ટેલિગ્રાફ’માં આ અહેવાલ છપાયા છે. આ ટેક્નોલોજીને વિકસાવવા માટે ૧૧ લાખ પાઉન્ડ(લગભગ ૯.પ૨ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. બ્રિટિશ કંપની એર ફ્યુઅલ સિન્ડિકેશનને બે વર્ષમાં આ ટેક્નોલોજી તૈયાર કરી છે. ટીસાઇડ સ્થિત એક કારખાનામાં તેમણે આ ટેક્નોલોજીની મદદથી ત્રણ મહિ‌નામાં પાંચ લિટર પેટ્રોલ તૈયાર કર્યુ છે. *હવામાંથી પેટ્રોલ કેવી રીતેબને છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીને તેને કાસ્ટિક સોડા(સોડિયમ હાઇડાયોક્સાઇડ)માં મિલાવવામાં આવે છે. તેનાથી બનનારા સોડિયમ કાર્બોનેટથી ફરી શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી તેમાંથી ડીહ્યુનિડીફ્યાર મશીન દ્વારા પાણી અલગ કરવામાં આવે છે. ફરીથી હાઇડ્રોજન ગેસ અલગ કરવામાં આવે છે. તેને રિફાઇન કરીને પેટ્રોલ તૈયાર કરવામાં આવે છે.

14 October 2012

હાર્ડડિસ્ક ડ્રાઇવ્સને કઈ રીતે છુપાવશો?

* start >>run માં gpedit.msc ટાઇપ કરો >>ok. * હવે તમારી સામે group policy ની વિન્ડો ખૂલશે. તેમાં user configuration ત્યારબાદ administrative templets પર ક્લિક કરો. પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windows exploreને ખોલો. * હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરો. હવે જે વિન્ડો ખૂલશે તેમાં enabledને સિલેક્ટ કરો. * સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કેટલાક ઓપ્શન મળશે. હવેજે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો. * જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માંગતા હોવ તો restrict all draivesને સિલેક્ટકરી દો. હવે apply કરીને ok કરી દો અને બહાર આવી જાઓ. * હવે તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે , તે my computer માંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે. * મિત્રો, ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટ કરો.

જીપીએફ વર્ષ ૨૦૧૧-૧૨ ના હિસાબો તપાસવા

http://www.agap.cag.gov.in/SlipsGpf.aspx

12 October 2012

આઈ.ક્યુ. એટલે કે ઈન્ટેલિજન્ટ ક્વોશન્ટ (બુદ્ધિમતા આંક) દુનિયાના સૌથી વધુ આઈ.ક્યુ. ધરાવતા ટોપ ટેન વ્યક્તિઓ વિશે જાણીએ...

♥♥ નંબર ૧ ♥♥
>>નામ:-જોન વુલ્ફગોંગ ગોથે
>>દેશ:-જર્મની
>>આઇ ક્યુ:- ૨૧૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૮ ઓગસ્ટ, ૧૭૪૯
>>મૃત્યુઃ ૨૨ માર્ચ, ૧૮૩૨
કાર્ય ક્ષેત્ર:-ક્રિટિક, વિજ્ઞાની, નવકથાકાર, નાટયલેખક, કવિ, કલાકાર વગેરેઅનેક કામો કર્યાં હતા.

♥♥ નંબર ૨ ♥♥
>>નામ:-લિઓનાર્દો દ વિન્ચી
>>દેશ:-ઇટાલી
>>આઇ ક્યુ:- ૨૦૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૫ એપ્રિલ, ૧૪૫૨
>>મૃત્યુઃ-૨ મે, ૧૫૧૯
કાર્ય ક્ષેત્ર:-ચિત્રકામ, શિલ્પકામ, બાંધકામ, સંગીત સર્જન, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, એન્જિનિયરીંગ, શોધ-સંશોધન, લેખન વગેરે.,

♥♥ નંબર ૩ ♥♥
>>નામ:-ઈમાન્યુઅલ સ્વેડનબર્ગ
>>દેશ:-સ્વીડન
>>આઇ ક્યુ:-૨૦૫ પોઇન્ટ
>>જન્મઃ-૨૯ જાન્યુઆરી, ૧૬૮૮
>>મૃત્યુઃ-૨૯ માર્ચ, ૧૭૭૨
કાર્ય ક્ષેત્ર:-વિજ્ઞાની અને ફિસોલોફર

♥♥ નંબર ૪ ♥♥
>>નામ:- ગોટફિટ વિલ્હેમ
>>દેશ:-જર્મની
>>જન્મઃ-૧ જુલાઈ, ૧૬૪૬
>>મૃત્યુઃ-૧૪ નવેમ્બર, ૧૭૧૬
કાર્ય ક્ષેત્ર:-તેમણે ન્યુટનની થિયરીઓ કરતાં પોતાની કેટલીક સ્વતંત્ર થિયરીઓ રજુ કરી હતી. તેમનું સૌથી મોટુ પ્રદાન જોકે બાઈનરી સિસ્ટમની શોધ છે. આજના તમામ ડિઝિટલ ઉપકરણો બાઈનરી સિસ્ટમથી જ ચાલે છે.

♥♥ નંબર ૫ ♥♥
>>નામ:-જ્હોન સ્ટુઅર્ટ મિલ
>>દેશ:-બ્રિટન
>>આઇ ક્યુ:-૨૦૦ પોઇન્ટ
>>જન્મઃ- ૨૦ મે, ૧૮૦૬
>>મૃત્યુઃ-૮ મે, ૧૮૭૩
કાર્ય ક્ષેત્ર:- અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ફિલોસોફર તેમજ તેમણે સમાજશાસ્ત્ર અને રાજનિતિશાસ્ત્રમાં પણ કેટલુંક પાયાનું કામ કર્યું છે.

♥♥ નંબર ૬ ♥♥
>>નામ:-બ્લેઝ પાસ્કલ
>>દેશ:-ફ્રાંસ
>>આઇ ક્યુ:-૧૯૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૯ જુન, ૧૬૨૩
>>મૃત્યુઃ-૧૯ ઓગસ્ટ, ૧૬૬૨
કાર્ય ક્ષેત્ર:-ગણિતશાસ્ત્ર, હાઈસ્કુલના દરેક વિદ્યાર્થીઓ પાસ્કલના નામને જાણતા હશે કેમ કે ભણવામાં પાસ્કલ્સ લો નામે એક વૈજ્ઞાનિક કન્સેપ્ટ આવે છે.

♥♥ નંબર ૭ ♥♥
>>નામ:-લુડવિગ વિટ્ટજેન્સ્ટાઈન
>>દેશ:-બ્રિટન
>>આઇ ક્યુ:-૧૯૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૬ એપ્રિલ, ૧૮૮૯
>>મૃત્યુઃ-૨૯ એપ્રિલ, ૧૯૫૧
કાર્ય ક્ષેત્ર:-ફિલોસોફર અને ગણિતશાસ્ત્રી
>>ભાષાનો તેમણે વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કરી ભાષાની ફિલોસોફી પર કામ કર્યું હતું

♥♥ નંબર ૮♥♥
>>નામ:-બોબી ફિશર
>>દેશ:-અમેરિકા
>>આઇ ક્યુ:-૧૮૭ પોઇન્ટ
>>જન્મઃ-૯ માર્ચ, ૧૯૪૩
>>મૃત્યુઃ-૧૭ જાન્યુઆરી, ૨૦૦૮
કાર્ય ક્ષેત્ર:-ચેસ
>>૧૪ વર્ષની વયે જ આખા અમેરિકામાં ચેસ ચેમ્પિયન બનેલા અને હરીફ દેશ રશિયાના ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે બોબીને ઇતિહાસના સૌથી મહાન ચેસ પ્લેયર ગણાવ્યા હતાં.

♥♥ નંબર ૯♥♥
>>નામ:-ગેલેલિયો
>>દેશ:-ઇટાલી
>>આઇ ક્યુ:-૧૮૫ પોઇન્ટ
>>જન્મઃ-૧૫ ફેબુઆરી, ૧૫૬૪
>>મૃત્યુઃ-૮ જાન્યુઆરી, ૧૬૪૨
કાર્ય ક્ષેત્ર:-ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને ફિલોસોફર
>>. વિજ્ઞાનમાં તેમના પ્રદાનને કારણે તેઓ આધુનિક વિજ્ઞાનના પિતામહ ગણાય છે.

♥♥ નંબર ૧૦ ♥♥
>>નામ:-એની લુઈસ સ્ટેલ
>>દેશ:-ફ્રાંસ
>>આઇ ક્યુ:-૧૮૦ પોઇન્ટ
>>જન્મઃ-૨૨એપ્રિલ, ૧૭૬૬
>>મૃત્યુઃ-૧૪ જુલાઈ, ૧૮૧૭
કાર્ય ક્ષેત્ર:-લેખન, લખાણોમાં નિઓક્લાસિસિઝમ અને રોમેન્ટિસિઝમ તેમની દેન ગણાય છે.
*નોધ:- એની લુઈસ સ્ટેલનો જન્મ સ્વિત્ઝરલેન્ડમાં થયો હતો પરંતુ તેઓ ફ્રાંસમાં મોટા થયા હતા એટલે ફ્રેંચ ભાષામાં લખતા હતાં.

11 October 2012

♥બે અમેરિકન વિજ્ઞાનીઓને કેમેસ્ટ્રીનું નોબેલ પુરસ્કાર,..♥


શરીરની બહારથી મળતા સિગ્નલને શરીરના કોષોમાં રહેલું પ્રોટીન જવાબ આપે છે તેવી મહત્ત્વની શોધ કરાનાર બે અમેરિકી વિજ્ઞાનીઓ રોબર્ટ લેફ્કોવિટ્ઝ અને બ્રિઆન કોબ્લિકાને આ વર્ષનું કેમેસ્ટ્રી ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

10 October 2012

♥પ્રેરક વાતો♥ ♥મીઠાઇને ચમકાવતા વરખની વરવી વાસ્તવિકતા...♥ *હિતેશ પટેલ*

♥આખોય આસો મહિનો આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇશું. ક્યારેક ‘પ્રસાદ’ રૂપે તો ક્યારેક તહેવારની ઉજવણી રૂપે. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કેઆ વરખ શુદ્ધ શાકાહારી ગણાતાનથી. વરખ શી રીતે તૈયાર થાય છે એ જાણશો તો કદાચ તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય પાતળું વરખ જે રીતે બનાવવામાં આવે છે એની વિગતો ચોંકાવનારી છે. બ્યુટી વિધાઉટ ક્રૂએલ્ટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ વરખના નિર્માણ પાછળની નક્કર માહિતી મેળવીને રજૂ કરી પરંતુ સ્થાપિત હિતોએ એ હકીકતો દબાવવા જબ્બર પ્રયત્નો કર્યા. વરસે દા’ડે આશરે ૩૦૦ ટન ચાંદી વરખ બનાવવામાં વપરાતો હોવાનો અંદાજ છે. પરંતુ એ હકીકતની બહુ ઓછા લોકોને જાણ છે કે આટલો વરખ બનાવવા માટે વરસે દા’ડે ઓછામાં ઓછી પાંચ લાખ ગાયનો વધ કરવો પડે.આટલું વાંચીને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ચાંદીના વરખ બનાવવાને ગાયના વધ સાથે શો સંબંધ ? એનો જવાબ મેળવવા માટે વરખ બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ૧૬૦ વરખ ધરાવતા પેકેટનું વજન ફક્ત દસ ગ્રામ થતું હોયછે. એટલે કે ચાંદીના પતરાને સુપરફાઇન કહેવાય એટલી હદે પાતળું કરવું પડે. એ શી રીતેથાય ? ચાંદીના પતરાને એક પુસ્તિકામાં મૂકવામાં આવે અને એ પુસ્તિકા એક ચામડાના પાઉચમાં મૂકીને પછી એના પર કલાકો સુધી લાકડાના હથોડાથી ટીપવામાં આવે. હવે વાંચજો ઘ્યાનથી. કતલ થતી ગાયનું આંતરડું લઇને એને સાફ કરે. કુદરતની મહેરબાની જુઓ કે ગાય યા બળદનું આંતરડું ૫૪૦ (પાંચસો ચાલીસ)ઈંચ લાંબું હોય છે. એને સાફ કરીને નવ બાય દસ ઈંચના ટુકડા તૈયાર કરે. પછી એના પરબાઇન્ડિંગ કરીને એક પુસ્તિકા જેવું બનાવે. એના દરેક બે પાન વચ્ચે ચાંદીની પતરી મૂકીને એને ચામડાના પાઉચમાં ગોઠવે. પાઉચ માટેનું ચામડું પણ મરેલા જાનવરનું હોય છે. લખનઉના ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે ૨૦૦૫ના નવેંબરમાં કોઇની ફરિયાદ પરથી વરખ પર લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા.સૂક્ષ્મદર્શક કાચ (માઇક્રોસ્કોપ) હેઠળ જોવા મળ્યું કે દરેક વરખ-રિપિટ, દરેક વરખ પર મરેલા જાનવરનાંલોહી-માંસ કે વાળના અવશેષો હોય છે. એટલું જ નહીં, આજે જ્યારે સાચી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ, માવો, મીઠાઇમાં વપરાતારંગ વગેરેમાં જ્યારે ભેળસેળ અને બનાવટ હોય છે ત્યારે શુદ્ધ કહેવાતી ચાંદી કેટલી શુદ્ધ છે એ શી રીતે ચકાસવું ? કેટલીક દુકાનોમાં ચાંદીના કહેવાતાસિક્કા વેચાતાં હોય છે જેમાં શુદ્ધ ચાંદીનું પ્રમાણ બહુ ઓછું હોય છે.ખેર,વરખ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લખનઉના સેન્ટરે પ્રગટ કરેલી વિગતો મુજબ વરખમાં નિકલ, સીસું, ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને કેડમિયમ નામની ધાતુના અંશો પણ જોવા મળ્યા છે. આ વરખ નિયમિત (ભલે પ્રસાદ રૂપે મળતી મીઠાઇ દ્વારા) ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા વરખમાં ભેળસેળ વઘુ જોવા મળી છે. આવાવરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે. ઔર એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સર્વે મુજબ ભારતનો મઘ્યમવર્ગી માણસ દર વરસે સરેરાશ એકસો કિલો મીઠાઇ ખાયછે. અગાઉ કહ્યું તેમ વરસે દા’ડે ૩૦૦ ટન ( એક ટન એટલે એકહજાર કિલોગ્રામ) વરખ મીઠાઇ,ફળો, પાન-સોપારી અને બીજી રીતે ખવાય છે. વરખ શાકાહારી છે કે માંસાહારી એ વિવાદમાંપડ્યા વિના ફક્ત એટલું વિચારીએ કે આરોગ્ય માટે ખતરારૂપ વરખ ખાવા કે કેમ ? નિર્ણય તમારે કરવાનો છે. વરખ મશીનમાં બને છે એવો બચાવ કરનારા લોકો સદંતર જૂઠ્ઠું બોલે છે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરે છે. આપણા કાયદા નિર્માલ્ય છે એનો લાભ લઇને આપણને ઝેર આપવામાં આવે ત્યારે આપણે જાતે નક્કી કરવું જોઇએ કે વરખ ચોડેલી મીઠાઇ ખાવી કે ખડી સાકરની ગાંગડીથી મોં મીઠું કરી લેવું... ?

03 October 2012

♥ગુજરાતનું ગૌરવ♥ ખેડૂત પુત્રએ શરૂ કરી ન્યૂ ફેસબુક, જોડાયા ૧૭૩૦ યુઝર્સ

♥ ન્યૂ ફેસબુક ફ્રોમ શિવલખા ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા

♥ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા યુવાને www.be-buddy.com ની સોશ્યલ વેબસાઇટ બનાવી.
♥અડગ મનના માનવીને હિ‌માલય પણ નડતો નથી આ કહેવતને ભચાઉ તાલુકાના શિવલખા ગામના ખેડૂતના પુત્રે સાર્થક કરી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાને પોતે www.be-buddy.com નામની એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવી છે આ સાઇટ ફેસબુકને પણ ટક્કર મારી શકે તેવી જોરદાર છે, જેમાં હાલમાં ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા છે અને હજુ દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે.
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે જેનું જીવતું જાગતું ઉદાહરણ ભચાઉ તાલુકાના શિવલખા ગામના જાડેજા બહાદુરસિંહ ખેતુભાએ પૂરું પાડ્યું છે. બહાદુરસિંહના પિતા ખેતુભા ખેતી કરે છે, માતા ઘરકામ કરેછે. આ અંગે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં યુવાને જણાવ્યું કે, બાળપણથી જ ઇલેકટ્રોનિક આઇટમોમાં ખૂબ જ રસ હતો, ત્યારથી મનોમન કમ્પ્યૂટર ઇજનેર બનવાનો નિર્ધાર કર્યો અને ત્યાર બાદ એડમિશન લીધા પછી ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને તેને સાર્થક કરવા છ માસ તનતોડ મહેનત બાદ www.be-buddy.com નામની સાઇટ લોંચ કરી, જેમાં હાલ ૧૭૩૦થી વધુ યુઝર્સ છે અને દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના યુવકે ટાંચા સાધનોની બદલે પોતાની સુઝબુજથી બનાવી અલાયદી વેબસાઇટ.
- સાઇટની વિશેષતાઓ
આ અંગે સોશ્યલ સાઇટના નિર્માતા બહાદુરસિંહ જાડેજા જણાવે છે કે, પ૦થી ૭૦હજારના ખર્ચે તૈયાર થયેલી આ સાઇટમાં યુઝર્સ ફેસબુકની જેમ સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડ બનાવી અને ઓનલાઇન ચેટ કરી શકશે, પોતાનું પેઇજ બનાવી શકાય તથા ફોટો, વીડિયો, વીડિયો સોંગ અપલોડ-ડાઉનલોડ,ઓનલાઇન ગેમ, એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
♥૭ નવા ફીચર્સ ઉમેરાશે
સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં આગામી દિવસોમાં લાઇક ડિસલાઇક બોક્સ, વિઝિટર્સ લિસ્ટ, ઓનલાઇન ડ્રોઇંગ, ફ્રીમેસેજ સહિ‌તના સાત જેટલા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે. ♥આ વેબસાઇટ પર જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો♥ http://be-buddy.com/mobile/

♥ગુજરાતનું ગૌરવ♥ ખેડૂત પુત્રએ શરૂ કરી ન્યૂ ફેસબુક, જોડાયા ૧૭૩૦ યુઝર્સ

♥ ન્યૂ ફેસબુક ફ્રોમ શિવલખા ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા

♥ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા યુવાને www.be-buddy.com ની સોશ્યલ વેબસાઇટ બનાવી.
♥અડગ મનના માનવીને હિ‌માલય પણ નડતો નથી આ કહેવતને ભચાઉ તાલુકાના શિવલખા ગામના ખેડૂતના પુત્રે સાર્થક કરી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાને પોતે www. be-buddy.comનામની એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવી છે આ સાઇટ ફેસબુકને પણ ટક્કર મારી શકે તેવી જોરદાર છે, જેમાં હાલમાં ૧૭૩૦ જેટલા યુઝર્સ જોડાયા છે અને હજુ દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે.
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે જેનું જીવતું જાગતું ઉદાહરણ ભચાઉ તાલુકાના શિવલખા ગામના જાડેજા બહાદુરસિંહ ખેતુભાએ પૂરું પાડ્યું છે. બહાદુરસિંહના પિતા ખેતુભા ખેતી કરે છે, માતા ઘરકામ કરેછે. આ અંગે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં યુવાને જણાવ્યું કે, બાળપણથી જ ઇલેકટ્રોનિક આઇટમોમાં ખૂબ જ રસ હતો, ત્યારથી મનોમન કમ્પ્યૂટર ઇજનેર બનવાનો નિર્ધાર કર્યો અને ત્યાર બાદ એડમિશન લીધા પછી ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને તેને સાર્થક કરવા છ માસ તનતોડ મહેનત બાદ www.be-buddy.com નામની સાઇટ લોંચ કરી, જેમાં હાલ ૧૭૩૦થી વધુ યુઝર્સ છે અને દરરોજ ૧પથી વધુ મેમ્બર જોડાઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના યુવકે ટાંચા સાધનોની બદલે પોતાની સુઝબુજથી બનાવી અલાયદી વેબસાઇટ.
- સાઇટની વિશેષતાઓ
આ અંગે સોશ્યલ સાઇટના નિર્માતા બહાદુરસિંહ જાડેજા જણાવે છે કે, પ૦થી ૭૦હજારના ખર્ચે તૈયાર થયેલી આ સાઇટમાં યુઝર્સ ફેસબુકની જેમ સ્ટેટસ અપડેટ, ફ્રેન્ડ બનાવી અને ઓનલાઇન ચેટ કરી શકશે, પોતાનું પેઇજ બનાવી શકાય તથા ફોટો, વીડિયો, વીડિયો સોંગ અપલોડ-ડાઉનલોડ,ઓનલાઇન ગેમ, એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.
♥૭ નવા ફીચર્સ ઉમેરાશે
સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં આગામી દિવસોમાં લાઇક ડિસલાઇક બોક્સ, વિઝિટર્સ લિસ્ટ, ઓનલાઇન ડ્રોઇંગ, ફ્રીમેસેજ સહિ‌તના સાત જેટલા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.
♥Bhaskar News♥